રાજકોટ શહેર પૈસાની લાલચે જે લોકો કોંગ્રેસ છોડીને ગયા છે. તેનો જનતા જવાબ આપશે. ૮ બેઠકો પર અમારી ભવ્ય જીત નિશ્ર્ચિત છે : હાર્દિક પટેલ

રાજકોટ,

રાજકોટ શહેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ લેઉવા પટેલના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરે આવી પહોંચ્યા હતા. નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્વારા હાર્દિક પટેલને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

હાર્દિક પટેલે પહેલા ખોડિયાર માતાજી સામે શિશ ઝુંકાવી ધન્યતા અનુભવી હતી. બાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યમાં પેટા ચૂંટણી આવી રહી છે.

કોંગ્રેસના નિરિક્ષકો કામે વળગી ગયા છે અને તમામ બેઠકોમાં અમારા ૨૦૦-૨૦૦ કાર્યકરો દોડી રહ્યા છે. ૮ બેઠકો પર અમારો વિજય થવાનો છે. પૈસાની લાલચે જે લોકો કોંગ્રેસ છોડીને ગયા છે. તેનો જનતા જવાબ આપશે.

પેટા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવશે. ૮ બેઠકો પર અમારી ભવ્ય જીત નિશ્ર્ચિત છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment